Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. ભંગારના જથ્થા સાથે રહેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા છે. ડીપીએમસી કે ફાયર ટીમને જાણ કર્યા વગર જાતે જ આગ ભંગારીયાઓએ આગ ઓલવી હતી. વારંવાર ભંગાર માર્કેટમાં લાગતી આગ શંકાસ્પદ બની છે.

ત્યારે આગના બહાને કેમિકલ યુક્ત કચરાનો થતાં નિકાલની શકયતા સામે આવી છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ તરફ જતા એપ્રોચ રોડ પર ગઇકાલના રોજ બપોરે રોડને અડીને આવેલ સરકારી જમીન પર ફૂટપાથ પર રહેલા ભંગારના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યાં રહેલા ભંગારના વાહનો અને ઉભેલા આઇસર ટેમ્પા લપેટમાં લેવા કગાર પર પહોંચી હતી. ભંગાર વેપારી ઓ જાતે જ આગ બુઝાવાની કોશિષ કરી રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના ભૃગુઋષી બ્રિજ નીચે મહિલા બુટલેગર માટે દારૂ વેચતાં બે ઝડપાયાં 

ProudOfGujarat

નડિયાદમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૧ બેઠકોની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

કપડવંજમાં ગરબાના ગ્રાઉન્ડમાં ૧૭ વર્ષીય યુવકનું ગરબા રમતા હાર્ટ એટેકથી મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!