Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લિમ્બચીયા સમાજ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે હવન કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ વિશ્વકર્મા સમાજ વાડીમાં લિમ્બચીયા સમાજ દ્વારા કોરોના કાળમાં જે મુત્યુ પામ્યા તેમને સાચી શ્રદ્ધાંજલિ મળે એ નિમિતે લિંબચ માતાનું હવન કરવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને વોર્ડ નંબર 2 ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા હતા ત્યારે તેઓને શ્રધ્ધાંજલિ મળે તે માટે લિમ્બચીયા સમાજ દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેઓના કુળદેવી લીંબચ માતાનું નવરાત્રીની આઠમ હોય અને આજનો દિવસ શુભ ગણીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને સમાજના લોકોમાં ઉત્સાહ વધાર્યો હતો અને સરાહનીય કામગીરીમાં સાથ આપ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : હિંગળાજપરામાં ગંદકીનું સામ્રાજ્ય : મહિલાઓએ રોષ વ્યક્ત કરી ગંદકી હટાવી રોડ બનાવવા માંગ કરી.

ProudOfGujarat

ખેડા જિલ્લાના અંદાજિત ૨૦,૨૨૨ ભૂલકાઓ લેશે બાલવાટિકામાં પ્રવેશ

ProudOfGujarat

નર્મદા ભાજપા જિલ્લા મહિલા મોર્ચા દ્વારા 10 મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!