Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંસાર માર્કેટમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં ગંદકીથી લોકો પરેશાન.

Share

અંકલેશ્વર જીઆઈડીસીના નજીક આવેલ ભડકોદ્રા ગામ સ્થિત અંસાર માર્કેટમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં હાલમાં વેક્સિનેશન તેમજ આરોગ્યને લગતી સેવાઓ આંગણવાડી કેન્દ્રમાં હાલ ચાલી રહી છે પરંતુ અહીંયા આવવા જવા માટે રસ્તો પણ નથી લોકોએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર આંખ આડા કાન કરે છે.

આંગણવાડી કેન્દ્ર ઉપર મમતાનું બોર્ડમાં આવ્યું છે પરંતુ કોઈની મમતા આ ગંદકી દૂર કરવામાં અસમર્થ રહી છે. આંગણવાડીને લગતી બહેનોએ આ અંગે રજૂઆત કરતાં એક જેસીબી મૂકવામાં આવ્યું હતું પરંતુ જેસીબી મશીન પાણી કાઢવા માટે અસમર્થ રહ્યું છે. આ આંગણવાડી કેન્દ્રને સફાઈ કરી લોકોની સુખાકારી માટે સારી રીતે પૂરું પાડી શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસનો હોબાળો, 17 સભ્યોએ કર્યું વૉકઆઉટ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના ઝાડેશ્વરના મહિલા સભ્યએ અનુસુચિત જાતિ અંગે કરેલી ટિપ્પણી સામે સમાજ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો.

ProudOfGujarat

રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!