Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : એસ.વી.ઇ.એમ. સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ.

Share

આગામી તા.30 ના રોજ શ્રી કૃષ્ણના જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે આવેલ એસ.વી.ઈ.એમ શાળાના વિધાર્થીઓએ રાધા કૃષ્ણ બની રાસ ગરબા રમી જન્માષ્ટમીની ઉજવણી કરી ઝૂમી ઉઠ્યા હતા, ત્યારબાદ શાળાના વિધાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. શિક્ષકગણ અને વાલીઓની ઉપસ્થિતિમાં નાના ભુલકાઓએ કૃષ્ણ-રાધાનો વેશ ભજવીને મટકીફોડ વગેરે કાર્યક્રમ સફળતાથી યોજ્યા હતા.

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ સ્કૂલ, જલારામનગર ખાતે શાળાના શિક્ષકો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે વર્ચ્યુયલ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપપ્રાગટ્યના શુભારંભ સાથે રાસ તેમજ મટકીફોડના કાર્યક્રમ થકી કૃષ્ણમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સાસણ ગીરમાં ચંદનના 16 ઝાડ કાપી નાખનાર 14 શખ્સો સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ઝઘડીયાના પોરા ગામના યુવકનો તલોદરા ગામના તળાવમાંથી મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. 6/7/2020 થી 11/7/2020 દરમિયાન ભારે વરસાદની આગાહી કરાતાં તંત્ર એલર્ટ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!