Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા જીઆઈડીસીમાં કોન્ટ્રાક્ટરના કામદારના મોત બાબતે રહસ્ય સર્જાયુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ ડીસીએમ નામની કંપનીમાં એ.એ કન્સ્ટ્રકશન નામનો કોન્ટ્રાક્ટર કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. આ કન્સ્ટ્રકશન કોન્ટ્રાક્ટમાં લાલ બિહારી નામનો એક યુવાન ફરજ બજાવતો હતો. આજરોજ ડીસીએમ કંપની સંકુલમાં કોઈ કારણોસર લાલ બિહારી નામના કોન્ટ્રાક્ટરના કામદારનું મોત થયું હતું, જેણે એક રહસ્ય સર્જ્યુ છે.

આ બાબતે કંપની સંકુલમાંથી મળતી વિગતો મુજબ કંપનીમાં નવા બનતા પ્રોજેક્ટ પાસે કામદાર જતો હતો ત્યારે કીચડમાં તેનો પગ ખુંપી જતા તે પડ્યો હતો અને તેનો મોત થયું હતું ! કામદારનું કંપની સંકુલમાં મોત થતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. કંપનીમાં કામદારના મોતના પગલે ઝઘડિયા પોલીસને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ થયા બાદ જ મોતનું સાચુ કારણ જણાવી શકાશે. જોકે કામદારના મોત બાબતે સોસિયલ મિડીયામા ફરતા થયેલા વિડીયોમાં મૃતકના સગા વ્હાલાઓએ લાલ બિહારીનું મોત કરંટ લાગવાના કારણે થયું હોવાનો આક્ષેપ કર્યો હતો ! ત્યારે હાલ તો આ કામદારના મોત બાબતે રહસ્યના તાણાવાણા સર્જાયેલા દેખાય છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચી હકિકત બહાર આવે તેમ હાલ પૂરતુ તો જણાય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરમાં વાછરડીની ઉઠાવી જવાની ઘટનાથી ચકચાર..

ProudOfGujarat

નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમના ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વરના નેતાજી ફળિયા વિસ્તારમાં વૃદ્ધાને ઘરમાં બંધક બનાવી લૂંટને અંજામ અપાતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!