Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જાડી ચામડીના ઉદ્યોગપતિઓ દ્વારા આમલાખાડીમાં દૂષિત પાણી છોડવાની પ્રક્રિયા યથાવત : જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ.

Share

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી દુર્ગંધવાળા પ્રદુષિત પાણીનું આમલાખાડીમાં નિકાલ આજે પણ એ જ રીતે થઈ રહ્યું છે. ગઈકાલે ગાંધીનગરથી જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી એ.વી. શાહ સાહેબ અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા એમને અહીંયાની પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા જોકે એનું અમલ કેટલું થયું એનો જવાબ હાલની પરિસ્થિતિ પોતે આપી રહી છે !!!

પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “NCT દ્વારા NCT માં ફ્લો વધારે થઈ જવાથી સ્ટોરેજ પોન્ડમાં પણ જગ્યા ના હોવાથી પ્રદુષિત એકમને પ્રદુષિત પાણી નહિ મોકલવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ઔદ્યોગિક એકમોએ હાલ પ્રદૂષિત પાણી પોતાના એકમોના સ્ટોરેજ કરવાની સુચનો આપવામાં આવી હતી. પરંતુ કેટલાક બેજવાબદાર એકમો આવી સૂચનાઓનું અમલ કરતા નથી અને તેમના દ્વારા ગેરકાયદેસર નિકાલ કરી આપવામાં આવે છે. આવા એકમોને શોધવામાં અને દંડીત કરવામાં તંત્રના અધિકારીઓ નિષ્ફળ ગયા છે.”

આજની પરિસ્થિતિ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા એક ફરજના ભાગરૂપે જવાબદારોને સોશિયલ મીડિયા માધ્યમથી જાણકારી આપી છે. જવાબદારોની ફરજ મોનીટરીંગ કરવાની અને પ્રદૂષણ રોકવાની છે. જીપીસીબી, NCT અને નોટિફાઇડ અધિકારીઓ પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ ગયા છે. ફરિયાદ થાય પછી રિપોર્ટ બનાવવાની એક વિધિ પુરી કરવામાં આવે છે એ યોગ્ય નથી. આ અપૂરતી કાર્યવાહી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચના ભૃગુઋષી બ્રિજ નીચે મહિલા બુટલેગર માટે દારૂ વેચતાં બે ઝડપાયાં 

ProudOfGujarat

વર્લ્ડ વૉટર ડે પર સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ, વિશ્વમાં 26% વસતી પાસે પીવાલાયક ચોખ્ખું પાણી જ નથી

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શમા હોટલ નજીકથી ગેરકાયદેસર હથિયાર સાથે આરોપી ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!