Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ પર્વે ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપ દ્વારા સાયકલ રેલી યોજાઇ.

Share

– 60 જેટલા સાયકલીસ્ટોએ ઝાડેશ્વર આઈનોક્ષ ખાતેથી નીકળી સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા.

– કોરોના મહામારી બાદ સ્વાસ્થ્ય અંગે યુવાનોમાં જાગૃતિ ફેલાવવા માટે યોજાઈ સાયકલ રેલી.

Advertisement

આજરોજ મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સાયકલીસ્ટ ગ્રૂપના 60 સભ્યોએ સાયકલ રેલી કાઢી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

સવારે 6 કલાકે ભરૂચના ઝાડેશ્વર રોડ ખાતે આવેલ આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષથી ભરૂચ સાયકલ ગ્રુપના 60 સભ્યો સાયકલ રેલી લઈ ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી ચોકડીથી ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ રોડ પર આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચ્યા હતા. સાયકલીસ્ટ દ્વારા સ્ટેચ્યુ પાર્કમાં રહેલ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


Share

Related posts

અમદાવાદ ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સની બસો વચ્ચે અકસ્માત સર્જાતા ૨૫ મુસાફરો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ઉમરપાડાનાં બિલવણ ગામે કોરોના સંક્રમિત પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડ ઓફ ઓનરનાં સન્માન સાથે અંતિમ વિદાય માન અપાયું.

ProudOfGujarat

લીંબડી ભફૈયા હનુમાનજી મંદિર રોડ પર આવેલ ખેતરમાંથી બે ભેંસોની ચોરી કરી ઇસમ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!