Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શેરી ગરબાને તંત્રની મંજૂરી મળતા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી : ખેલૈયામાં અનેરો ઉત્સાહ.

Share

હાલ સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસની ગંભીર બીમારીએ હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ભારત દેશની અંદર પણ કોરોના વાયરસની બીમારીએ આતંક મચાવ્યો હતો, ત્યારે ભારત સરકારે સમગ્ર દેશની અંદર લોકડાઉન જાહેર કર્યું હતું, જેમાં ધાર્મિક તહેવારોના ઉપર પણ રોક લગાવી હતી.

સરકાર દ્વારા નિયમોને આધીન છૂટ આપતા એટલે નવરાત્રી મહોત્સવની અંદર આયોજકો અને ગરબા ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના માલિ ખડકી, ભાલિયા વાડ વિસ્તારમાં પણ આયોજકો દ્વારા શેરી ગરબાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને સરકારના નિયમોને આધીન આરતી, શેરી ગરબા કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.

Advertisement

છેલ્લા બે વર્ષોથી સમગ્ર દેશમાં કોરોના મહામારી એટલી ભરખી ગઈ હતી જેમાં લોકો તહેવારો કરવાનું ભૂલી ચૂક્યા હતા જે દેશ પોતાના તહેવારો માટે જાણીતો છે તે હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. કોરોના ગાઈડલાઇન પ્રમાણે તહેવારોની રમઝટ શરૂ થવા લાગી છે. કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ન મળે તેની ખાસ જોગવાઇઓ કરવામાં આવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વીજપુરવઠો છેલ્લા 4 દિવસથી ખોરવાયો.

ProudOfGujarat

નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીના ચાર્જ લેવા બાબતે સાધુ સંતોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું

ProudOfGujarat

ભરૂચ-વાલિયા નેત્રંગ રોડ પરથી લાખોની કિંમતના શરાબના જથ્થા સાથે ત્રણ ઇસમોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!