Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ગડખોલ ખાતે પતિ સાથેના અણબનાવ વચ્ચે પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વરનાં ગડખોલ ખાતે લગ્નના ચાર મહિના બાદ પત્નીને પતિ સાથે ન ગમતા અને પતિના માતા-પિતા સાથે અણબનાવ થયા કરતાં પત્નીએ રસોડામાં સીલિંગ ફેન પર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.

પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ફરિયાદી નીરજ ડૂબેના લગ્ન ચાર મહિના પહેલા જ અંતિમાદેવી સાથે થયા હતા તેઓ હાલ ક્રિષ્ણાકુંજ સોસાયટી ગડખોલ ખાતે તેમના માતા પિતા સાથે રહેતા હતા. લગ્નના થોડા મહિના બાદ પત્નીને માતા પિતા સાથે ફાવતું ન હતું જેથી માતા પિતા ફરિયાદીના બહેન બનેવીમાં ઘરે રહેવા જતા રહ્યા હતા. જે બાદ માતા પિતાને સમજાવીને ઘરે પરત લાવ્યા બાદ પત્ની પતિ સાથે અલગ જ વર્તાવ કરી રહી હતી તેને તેના પતિ સાથે નથી ફાવતું અને એ તેને નથી ગમતો કહેતી હતી.

Advertisement

ગતરોજ રાત્રે નીરજ અને તેના માતા પિતા ઘરની છત પર સુવા માટે ગયા હતા અને પત્ની નીચે ઘર બંધ કરી અને સુઈ ગઈ હતી. આજરોજ સવારે માતા દ્વારા દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા પત્નીએ દરવાજો ખોલ્યો ન હતો જે બાદ દરવાજો ખોલીને જોતા પત્ની રસોડામાં લગાવેલ સીલિંગ ફેન પર લટકેલી અવસ્થામાં જોવા મળી હતી જેથી તેને જયાબેનમોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જતા તેને મૃત જાહેર કરાઈ હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ : નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારતા એક ઇસમનું કરૂણ મોત નિપજયુ.

ProudOfGujarat

અંગદાન જીવનદાન : સુરતના કોળી સમાજના બ્રેઇનડેડ મહિલાના પરીવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી.

ProudOfGujarat

ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!