Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા નબીપુર પ્રાથમિક કુમારશાળાની કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર બનાવવાનાં કામનું ખાત મુહૂર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલી પ્રાથમિક કુમારશાળામાં કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર જર્જરિત હાલતમાં થઈ ગયું હતું જેનો જીર્ણોદ્ધાર કરવા માટે અદાણી ફાઉન્ડેશન આગળ આવ્યું હતું.

જે સ્વરૂપે આજરોજ અદાણી ફાઉન્ડેશન તરફથી ઉષાબેન મિશ્રા તથા મહેન્દ્રસિંહ સિંધા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શાળાની SMC ના પ્રમુખ સલીમભાઈ કડુજી, કમિટીના સભ્યઓ, પ્રા. કુમારશાળા નબીપુરના આચાર્ય ઇલાબેન રાણા, શાળાનો સમગ્ર સ્ટાફ, નબીપુર ગામના સરપંચ, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો પણ હાજર રહયા હતા. અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસમાં ભાગીદાર બનતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરાયું હતું.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ગેસ લીકેજના મુદ્દે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરતું જિલ્લા કોંગ્રેસ*

ProudOfGujarat

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી 6.5 ફૂટનો મગર સલાટવાડાના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો : મગરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં.

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક ટેન્કર સાથે રિક્ષા ભટકાતા રિક્ષા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!