Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાનીની નિમણુક કરાઈ.

Share

કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી, જેમાં ૨૦૨૧/૨૨ માટે સંગઠન બનાવવામાં આવ્યુ હતુ. બેઠકમાં રાજ્યના જિલ્લાઓના કન્વીનરોની નિમણુંક પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જીલ્લાઓના કન્વીનર અને મહિલા કન્વીનરોની નિમણુંક કરવામાં આવી હતી. દરેક જિલ્લાના કન્વીનર ભાઇઓ અને મહિલા કન્વીનરોની યાદી જાહેર કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પદે પંકજભાઈ ભુવાની નિમણુંક કરવામાં આવી, જ્યારે મહીલા કન્વીનર તરીકે હેમાંગીબેન કેવડિયાની નિમણુંક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના સંગઠનમાં નવા નિમાયેલ કન્વીનર તથા મહિલા કન્વીનરની નિમણુંકને કમીટી દ્વારા આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને સુરત પોલીસે ઘસડી-ઘસડીને માર્યા : રેલીમાં મંત્રીઓ માસ્ક ન પહેરે તેનું શું ?

ProudOfGujarat

વડોદરા : માયો માયો રોગથી પીડિત બે બાળકોની સર્જરી કરી રોગમુક્ત કરતા સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જન.

ProudOfGujarat

ઉમરપાડાનાં સળગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે કોંગ્રેસનાં આગેવાનોએ ઉમરપાડાનાં મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!