Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે.

Share

અંકલેશ્વરનાં બજારો દિવાળીના દિવસથી બંધ થઈ ગયા હતા જે આવતી કાલે લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે. લાભપાંચમ એટલે વેપાર અને ધંધા રોજગારના મુર્હૂત કરવાનો પવિત્ર દિવસ.

દિવાળીના તહેવારના પાંચ દિવસ અંકલેશ્વરના વેપારીઓ અને ધંધાદારીઓએ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યાં હતા. આવતીકાલે લાભ પાંચમે પાંચ દિવસ બાદ ફરી વેપાર-ધંધા અને દુકાનો ધમધમતી થઈ જશે. પાંચ દિવસથી સૂમસામ લાગતા બજારો અને રોડ તેમજ અન્ય વિસ્તારોમાં ફરી જનજીવન ધબકતું થઈ જશે. લોકો નવા વર્ષમાં તેમના વેપાર કે ધંધા-રોજગાર સારી રીતે ધમધમતા થાય તેવી અપેક્ષા સાથે શુભ મુર્હુતમાં પોતાની દુકાનો કે ધંધા-રોજગારના સ્થાનોને શરૂ કરશે. લાભ પાંચમના દિવસે વેપાર કે ધંધા-રોજગાર શરૂ કરવાથી સમગ્ર વર્ષમાં સારો લાભ મળે છે તેવી માન્યતા છે. વિવિધ માર્કેટયાર્ડ, એપીએમસી તેમજ અન્ય સ્થાનિક બજારોમાં સારા મુર્હૂતમાં પોતાના વેપાર-ધંધા શરૂ કરાશે. નવી દુકાનો તેમજ અન્ય નવા ધંધાનો આરંભ પણ થશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સરકારી વિનયન કોલેજ શહેરામાં સંસ્કૃત વિભાગનાં ઉપક્રમે રાજ્યકક્ષાનો વેબિનાર સંપન્ન થયો.

ProudOfGujarat

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

ProudOfGujarat

શુદ્ધ જલ પ્રસાદમ ઉક્તિને સાર્થક કરવા પંખીઓ માટે પાણીના બાઉલનું ફ્રી વિતરણ ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!