Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે ૨૨૨ મી જલારામ જયંતિની ઉજવણી કરાઈ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા ખાતે જલારામ ભક્તો દ્વારા ચાલુ સાલે જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ઝઘડિયા ખાતે વર્ષોથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ ઝઘડિયા ખાતે જલારામ બાપાની ૨૨૨ મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતિ કાર્યક્રમ ઉજવણીના અગ્રણી કનુભાઈ દોશીએ જણાવ્યુ કે તેમના મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ જલારામ બાપાની પાદુકાની શોભાયાત્રા થાણા ફળિયાથી નીકળી હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. આરતી બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસનો કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે નવતર પ્રયોગ…જાણો શું ?

ProudOfGujarat

ભરૂચમાં પારિવારિક ઝઘડાને કારણે નર્મદા બ્રિજ પર આત્મહત્યા કરવા ગયેલા યુવાનને બચાવતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!