Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો 17 વર્ષીય જિગ્નેશ જીતુભાઈ વસાવા ગત તારીખ-12 મી નવેમ્બરના રોજ રાતે 8:30 કલાકથી ગુમ થયો હતો. કિશોર ગુમ થતાં પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી, જે કિશોરનો 6 દિવસ બાદ અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાખરામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવ અંગે ઉછાલી ગામના ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી કિશોરની હત્યા થઈ છે કે અન્ય કારણોસર તેનું મોત નીપજયું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદના બાળકો હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઝળક્યા.

ProudOfGujarat

નયનાચોક ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

સુરત ના હઝીરા વિસ્તાર ના કવાસ ગામ મા પચાસ વર્ષ પૂર્ણ થયા વર્ષ ગાંઠ ની ઉજવરી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!