Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ફરી કોરોના મહામારીએ માથું ઊંચકતા લોકોમાં ગભરાટ.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝીટીવ દર્દી જણાયા ન હતા જેથી આરોગ્ય તંત્રને હાશકારો થયો હતો કે ધીમા પગલે કોરોના વિદાય લઈ રહ્યો છે. બીજી બાજુ તંત્ર દ્વારા વારંવાર મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલમાં જ ભરૂચ જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ હોય તેમ ભરૂચના વાલિયા ખાતેની આદિત્ય નગરની સોસાયટીમાં કોરોના પોઝિટીવના પાંચ કેસ નોંધાયા હતા. જોકે કોરોના પોઝિટીવના પાંચ કેસ નોંધાયા તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી છે જેમાં સમગ્ર પરિવાર વૈષ્ણોદેવી દર્શન કરવા ગયા હતા. આમ અન્ય રાજયમાં ફરવા ગયેલ કુટુંબને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં મળતી માહિતી મુજબ કોરોનાએ માથું ઊંચકાયું હોવાની વિગત સપાટી પર આવી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા સટ્ટોડીયાને ઝડપી પડાયો.

ProudOfGujarat

અમદાવાદ : વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં લોકો કોરોનાનું ભાન ભૂલ્યા : વેક્સિન માટે કરી પડાપડી ..!

ProudOfGujarat

દેવમોગરા ખાતે મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે આગામી તા.૮થી ૧૨મી માર્ચ દરમિયાન યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!