Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૫ મી ડિસેમ્બર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમની મુદ્દત લંબાવાઇ.

Share

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૮-૧૯ વયજુથના વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નોંધણી કરે તે માટે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ – ૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર્મ નં.૬-૩૧૧૧૦, ફોર્મ નં.૭-૮૫૦૮, ફોર્મ નં.૮-૯૯૧૯ અને ફોર્મ નં.૮ક-૨૬૫૮ મળેલ છે. જિલ્લામાં આ સમયગાળા દરમ્યાન બુથ લેવલ ઓફિસરો પાસે નાગરિકોના ઘેર-ઘેર મુલાકાત કરાવી ૧૮-૧૯ વયજુથના કે તે સિવાયના વયજુથના મતદાર તરીકે નોંધણી કરાવેલ ન હોય તેવા નાગરિકોના ફોર્મ નં.૬ મેળવવા તથા મૃત્યુ પામેલ મતદારોના ફોર્મ નં.૭ મેળવવા ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી બાકી લાયક નાગરિકોને બુથ લેવલ ઓફિસરો પાસે અથવા ઓનલાઈન પ્લેટફોર્મ nvsp.in, વોટર હેલ્પલાઈન એપ્લિકેશન તથા વોટર પોર્ટલના માધ્યમથી ફોર્મ ભરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલી ટેગરોસ કંપનીમાં ગત રાત્રીના સમયે પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઓની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એથલેટિક્સની ટીમમાં પસંદગી.

ProudOfGujarat

શિયાળાની ઋતુમાં ગરમ કપડાની બજારમાં નાગરીકોની નિરસતા : વેપારીઓ પણ મુંઝવણમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!