Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટે સેમિનાર યોજાયું.

Share

પોલીસ કર્મીની કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય કે બંદોબસ્ત કરવાનો હોય કે પ્રજા સુરક્ષાની જવાબદારી હોય પોલીસ કર્મીઓને 24 કલાક સતત ખડેપગે સેવા બજાવવાની હોય છે ત્યારે સતત તણાવ વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસના કર્મચારીઓ સ્ટ્રેસ ફ્રી રહે તે માટે પોલીસ હેડ કવાટર (જીતનગર) રાજપીપલા, નર્મદા ખાતે હાર્ટફુલનેસ સંસ્થા સાથે મળીને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 146 જેટલા અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે આ સેમિનારમા જોડાવાથી સ્ટ્રેસ દૂર થશે અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાથી વધુ સારી રીતે ફરજ બજાવી શકશે. આવા સેમિનારો અવારનવાર થવા જોઈએ.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઉતરકાશીમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓની ગાડી ખીણમાં પડતાં રાજકોટના 9 લોકોના મોત

ProudOfGujarat

ઉચ્છદ ગામે જુગાર રમતાં જુગારિયાઓ પૈકી એક ઝડપાયો, 7 ચકમો આપી ફરાર

ProudOfGujarat

રાજપીપળા : ભોળી પ્રજા પાસે દંડ ઉધરાવતું તંત્ર શું બેંકોને દંડ ફટકારશે ?… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!