Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા સુરતી ભાગોળ વિસ્તારમાં આજે તારીખ 9/12/2020 નાં રોજ અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક લાગેલ આગનાં પગલે સુરતી ભાગોળ વિસ્તારની ઝુંપડપટ્ટી તેમજ આજુબાજુનાં વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ત્રણથી ચાર જેટલા ઝૂંપડાઓ આગની લપેટમાં આવી જતા ઝુંપડામાંની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શ્રમજીવી અને ગરીબ વર્ગનાં લોકોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું હતું તેથી વધુ કડકડતી આ ઠંડીના દિવસોમાં ઝુંપડપટ્ટીમાં રહેનારાઓ છત વિહોણા થઈ ગયા હતા. નાના બાળકો અને મહિલાઓની પરિસ્થિતિ દયાજનક થઈ ગઈ હતી. અંકલેશ્વર ફાયર બ્રિગેડનાં જવાનોએ ત્વરિત અને અસરકારક કામગીરી કરતા કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ડભોઇ તાલુકાના 80 ઉપરાંત ગામોની સમસ્યાનું નિરાકરણ લાવવા પાણી પુરવઠા વિભાગના ઉપક્રમે મંજૂરી મળતા અકોટાદર અને અંગૂઠાણ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંપ અને સંરક્ષણ દીવાલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

વડોદરાના બે યુવકોએ બનાવેલા ફાર્મ હાઉસ પોડનાં વપરાશથી ઘરમાં કરી શકાય છે ખેતી.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર રોડ પર ટ્રકની ટાંકી લીકેજ થતાં ઓઇલ રસ્તા પર ઢોળાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!