Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી. અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Share

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી કરવામાં આવી હતી અને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રી ને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

વિરમગામના પત્રકારો દ્વારા આપવામાં આવેદનપત્ર મા જણાવ્યું હતું કે, ગત શનિવાર ના રોજ અમદાવાદમાં ખાનગી ચેનલ માં કોપી એડિટર તરીકે કામ કરતાં અને નિકોલ ખાતે રહેતા પત્રકાર ચિરાગ પટેલને જીવતો સળગાવી દેવાયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ચિરાગની લાશ કંઠવાળા પાસે અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. આ રહસ્યમય હત્યા કેસ માં પોલીસ દ્વારા તપાસ કરવા માં આવી રહી છે. ઘટના ને ત્રણ દિવસ વીતવા છતા પોલીસ ની તપાસ હજુ ત્યાની ત્યાંજ છે. બીજી બાજુ પત્રકાર જગતમાં દુખ ની લાગણી છે ત્યારે અમદાવાદ જિલ્લા મીડિયા ક્લબ દ્વારા પત્રકાર ચિરાગ પટેલની હત્યા કેસ માં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ થાય તેવી માંગણી છે. પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસના આરોપીઓને ઝડપી સખત સજા થાય તેમજ ભવિષ્યમાં પત્રકારો સાથે અમાનવીય વ્યવહાર ન થાય તે માટે પત્રકારોની સુરક્ષા માટે સરકાર દ્વારા પગલાં ભરાય તેવી અમો પત્રકારોની વિનંતી છે.


Share

Related posts

નડિયાદ સી બી પટેલ આર્ટ્સ કોલેજ હિન્દી વિભાગ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ અને અતિથિ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ProudOfGujarat

વિદ્યાર્થીઓ માટે નવા દ્વાર ખુલ્યા : ભરૂચ જિલ્લામાં UPL યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી આધારિત રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી સ્થાપવા મંજૂરી.

ProudOfGujarat

અદાણી સીએનજીના ભાવમાં વધારો, વાહન ચાલકો પર ફરી મોંઘવારીનો માર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!