Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદમાં ફાયર એનઓસી વિનાની 27 બિલ્ડિંગો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ.

Share

હાઈકોર્ટ દ્વારા સતત ફાયર સેફ્ટીને લઈને સૂચનો કરવામાં આવી રહ્યા છે. ફાયર એનઓસીના મામલે વારંવાર હાઈકોર્ટની ટકોર બાદ પણ ઘણી જગ્યાએ આ બેદરકારી જોવા મળી છે. ત્યારે અગાઉ 47 જેટલી કોમર્શિયલ બિલ્ડિંગોને નોટીસ આપવામાં આવી હતી અને કોર્પોરેશનની ફાયર એનઓસી વિનાની 27 બિલ્ડીંગો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.

હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફાયર એનઓસી મેળવવું રીન્યું કરાવવું ફરજીયાત છે. ફાયર બ્રિગેડા આ મામલે 45 નોટીસો ધરી દીધી હતી જેમાંથી 27 મિલકતધારકોને એનઓસી નહીં લેતા તેમની સામે ફોજદારી રાહે કમગિરી પ્રક્રિયા હાથ ઘરવામાં આવી હતી. 45 કોમર્શિયલ મિલકતોને નોટીસો આપવામાં આવી હતી. આ મિલકતોમાં પૈકી 18 મિલકતધારકોએ તેમની મિલકતની ફાયર એનઓસી મેળવી લીધી હતી.

Advertisement

અગાઉ પણ 7 બિલ્ડિંગો સામે કોર્ટમાં ફરીયાદ નોંધવામાં આવી છે. અગાઉ પણ બિલ્ડીંગની અંદર ચેરમેન સેક્રેટરીની દોષી ઠેરવવામાં આવ્યા હતા ત્યારે આ વખતે પણ એવું બની શકે છે. કોર્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને બિલ્ડીંગના ચેરમેન સેક્રેટરીને સજા કરવા સુધીની જોગવાઈ છે. અગાઉ પણ તમામ એવા એકમો કે ફાયર એનઓસી ના ધરાવતા હોય તેમને નોટીસ ફટકારવામાં આવી છે.


Share

Related posts

ગણેશ વિસર્જનમાં ગરબા રમવા બાબતની તકરારની રીસ રાખી 3 યુવાન પર હુમલો

ProudOfGujarat

અંકલેશ્વર : હરિયાણા ભાણેજનાં લગ્નમાં ગયેલા શર્મા પરિવારનાં ઘરનાં તાળા તુટીયા 7 લાખ ઉપરાંતનાં દાગીનાની ચોરી.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા 14 લાખ લોકોના જીવનમાં સુધારો : આગલા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને સુપોષિત કરવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!