Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક લિફ્ટ તૂટતાં શ્રમિકોના મોત નિપજ્યા.

Share

અમદાવાદમાં ગુજરાત યુનવર્સિટી પાસે મોટી ઘટના બની હોવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એક ઇમારતના નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના બની હોવાનું જણાવાઈ રહ્યું છે. એક્સપાયર -2 નામની બિલ્ડીંગનું કામ ચાલુ હતું તે જ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટી હતી અને 7 જેટલા શ્રમિકોના મોત થયાના સમાચાર છે.

આ ઘટનામાં એકની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કેવી રીતે બની અને શ્રમિકોની સેફટી માટે શા માટે કોઈ વ્યવસ્થા ન હતી તેવા અનેકો પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. આ અગાઉ પણ ગુજરાતમાં ઘણી દુર્ઘટના બની છે તેમાં શ્રમિકોના મોત થયા છે ત્યારે શ્રમિકો માટે સેફટીની સુવિધા રાખવાની ફરજીયાત કરવામાં આવી છે.

Advertisement

શ્રમિકોની મોત માટે જવાબદાર કોણ ? અને સેફટી જેવા પ્રશ્નો પર ઉભા થઇ રહ્યા છે. આ બનાવ અમદાવાદની ગુજરાત યુનિવસીટી નજીક આવેલા એક્સપાયર- 2 બિલ્ડીંગમાં બન્યો હતો. અમદાવાદમાં ઘણી જગ્યાએ મોટાપાયે મોટી મોટી ઇમારતોના કાર્ય ચાલુ છે ત્યારે આવી ઘટના બને છે બિલ્ડીંગમાં સેફટીની સુવિધા રાખવી જોઈએ જેથી કોઈ અનિચ્છીય બનાવ ન બને. ગરીબ શ્રમિકોના જીવન સાથે રમતો રમાય છે.

મૃત્યુ પામનાર શ્રમિકોના નામ આ પ્રમાણે છે :

1) સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​
2) જગદીશભાઈ રમેશભાઈ નાયક
3) અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​
4) મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​
5) મુકેશભાઇ ભરતભાઇ નાયક
6) રાજમલ સુરેશભાઇ ખરાડી
7) પંકજભાઇ શંકરભાઇ ખરાડી


Share

Related posts

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

ધામણોદ ગામે પિતાને યમસદને પહોચાડનાર પુત્રનેશહેરા પોલીસે પકડી પાડ્યો

ProudOfGujarat

નેત્રંગના ફોકડી ગ્રામપંચાયતમાં ઉપસરપંચ પદે ધનીબેન વસાવાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!