Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંત સરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Share

સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે વાસણા બેરેજના દરવાજાઓ 1 થી દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ગુજરાતમાં તેમજ ઉપરવાસમાંથી પાણીની વધુ આવક ડેમો સુધી પહોંચી છે. ત્યારે ડેમના દરવાજાઓ ખોલવાની કામગિરી કરવામાં આવતી હોય છે. ત્યારે સાબરમતીમાં પાણીની આવક થઈ છે. વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.

Advertisement

નદીમાં પાણીની આવકના કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે કેમ કે, 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 3 દરવાદા 1.5 ફૂટ અને એક દરવાજો 1 ફૂટ સુધીટ ખોલવામાં આવ્યો છે. પાણીની વિપૂલ માત્રામાં આવક થતા એએમસી દ્વારા તકેદારી રખાતા દરવાજા ખોલવામાં આવ્યા છે.

મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનું પાણી અને ઉત્તર ગુજરાતનું પણ પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મધ્ય ગુજરાત સાબરમતી નદી સુધી આવે છે ત્યારે પાણીનો ઓવરફ્લો ન થાય અને વિપરીત પરિસ્થિતિ ન બને તેને જોતા અત્યારથી જ પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ચોમાસાના એકથી દોઢ મહિના જેટલા સમયગાળામાં મોટાભાગના ડેમોમાં વિપૂલ પાણીની આવક થઈ રહી છે. રાજ્યના કેટલાક મોટો ડેમો ભયજન સપાટીની નજીક પણ પહોંચી રહ્યા છે.


Share

Related posts

નર્મદા કલેકટરે મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા મુદ્દે BSNL અધિકારીઓને રીતસરના ખખડાવ્યા.

ProudOfGujarat

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરનો આતંક

ProudOfGujarat

ગઢડાના DYSP ના ડિસમિસની માંગ સાથે સુરતમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આપ્યું આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!