Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં BRTSના સ્ટેન્ડથી ગંતવ્ય સ્થળ સુધી ઈ-રીક્ષાની સેવા શરૂ કરાઈ

Share

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી બી.આર.ટી.એસ.બસોમાં મુસાફરી કરતા મુસાફરોને પડતી મુશ્કેલી નિવારવા પ્રાયોગિક ધોરણે સવાર-ઈ નામથી નવી સેવા શરૂ કરી છે. જેમાં બસ સ્ટોપ પર ઉતર્યા બાદ ગંતવ્ય સ્થાન સુધી જવાની સુવિધા શરૂ કરાઈ છે.બીઆરટીએસ બસમાંથી ઉતર્યા બાદ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં તકલીફ પડતી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતને ધ્યાનમાં રાખીને એક રૂટ પર 6 જેટલી ઈ-રીક્ષા શરૂ કરી છે. હાલમાં શિવરંજની બી.આર.ટી.એસ જંકશનથી પ્રહલાદનગર-સરખેજ હાઈવે સુધી આ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈપણ મુસાફર 10 રૂપિયાની ટિકિટ લઈને સરખેજ હાઈવે સુધીની મુસાફરી કરી શકશે.ઈ-રીક્ષાના ડ્રાઈવરને એક બુકલેટ આપવામાં આવી છે. જેમાંથી દરેક મુસાફરને ટિકિટ આપવામાં આવશે.

Advertisement

ખાનગી કંપની સાથે પી.પી.પી ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેકટને હાલ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી સમયમાં બી.આર.ટી.એસના મુસાફરો સંખ્યા વધુ હોય તે સ્થળે પણ આ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવી શકાય છે.


Share

Related posts

અંકલેશ્વરમાં ૧૨ થી વધુ દિવ્યાંગોના મતદાન ઓળખ કાર્ડ માટે ફોર્મ ભરવામાં આવ્યા.

ProudOfGujarat

જામનગરના સિક્કા ગામે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે બાળકીની હ્રદયની બીમારીનું સફળ ઓપરેશન કરાયું

ProudOfGujarat

ગોધરા માં સમસ્ત મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવ પીર ની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!