Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીમાં આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માંગરોળ તાલુકાના વાંકલ ગામનો અને હાલ અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીના મકાન નંબર-૧૫ મા રહેતા ૩૦ વર્ષીય સુહાગ રામસિંહ વશીએ આજરોજ સવારે અગમ્ય કારણોસર પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તેના પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં યુવાનના લગ્ન હોય તેણે અંતિમવાદી પગલું ભરતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement


Share

Related posts

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાંચમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ક નહીં આપતા યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી છે.

ProudOfGujarat

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ

ProudOfGujarat

કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી દ્વારા વિશેષ નિયંત્રણો મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!