Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીમાં આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માંગરોળ તાલુકાના વાંકલ ગામનો અને હાલ અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીના મકાન નંબર-૧૫ મા રહેતા ૩૦ વર્ષીય સુહાગ રામસિંહ વશીએ આજરોજ સવારે અગમ્ય કારણોસર પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તેના પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં યુવાનના લગ્ન હોય તેણે અંતિમવાદી પગલું ભરતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ ચાવજની આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો.

ProudOfGujarat

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે તા. 24 થી 31 ઓક્ટોબર સુધી ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્ક શોપ આયોજન.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને હસ્તે થશે ઉદઘાટન : કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!