Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યા ને ભોજન સેન્ટર ખાતે જરૂરિયાતમંદો માટે નેકીની દીવાલ ઉભી કરવામાં આવી.

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વર શહેરમાં રહેતા જુનેદ પાંચભાયા અને ઇસ્તેખાર સિદ્દીકી દ્વારા અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યા ને ભોજન સેન્ટર ખાતે જરૂરિયાતમંદો માટે નેકીની દીવાલ ઉભી કરવામાં આવી છે. જ્યાં વિવિધ કપડા મુકવામાં આવ્યા છે. આ સ્થળેથી જરૂરિયાતમંદ લોકો કપડા મેળવી રહ્યા છે. સમાજ સેવા કરી રહેલા ભૂખ્યા ને ભોજન સેન્ટરના સંચાલકો દ્વારા મુકવામાં આવેલ દાન પેટીમાં રાહદારીઓ અને વાહન ચાલકો દાન કરી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહેલા આ સેન્ટર ખાતે વધુમાં વધુ લોકો મદદરૂપ થાય તેવી અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે જુનેદ પાંચભાયા અને ઇસ્તેખાર સિદ્દીકી,રજનીસિંગ અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ઝઘડીયા : બાવાગોર દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૭ માર્ચના રોજ મનાવવામાં આવશે.

ProudOfGujarat

દાહોદ જિલ્લાના ટાડાગોળા ગામે ડાકણના વ્હેમે દેરાણી જેઠાણી ને નગ્ન કરી ઝાડ સાથે બાંધી સળગતા લાકડાના ડામ દીધા

ProudOfGujarat

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા કંપનીમાં ડ્રમમાં બ્લાસ્ટ થતા 2 કામદાર દાઝયા : જીઆઇડીસી પોલીસે મામલે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!