Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યા ને ભોજન સેન્ટર ખાતે જરૂરિયાતમંદો માટે નેકીની દીવાલ ઉભી કરવામાં આવી.

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વર શહેરમાં રહેતા જુનેદ પાંચભાયા અને ઇસ્તેખાર સિદ્દીકી દ્વારા અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યા ને ભોજન સેન્ટર ખાતે જરૂરિયાતમંદો માટે નેકીની દીવાલ ઉભી કરવામાં આવી છે. જ્યાં વિવિધ કપડા મુકવામાં આવ્યા છે. આ સ્થળેથી જરૂરિયાતમંદ લોકો કપડા મેળવી રહ્યા છે. સમાજ સેવા કરી રહેલા ભૂખ્યા ને ભોજન સેન્ટરના સંચાલકો દ્વારા મુકવામાં આવેલ દાન પેટીમાં રાહદારીઓ અને વાહન ચાલકો દાન કરી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહેલા આ સેન્ટર ખાતે વધુમાં વધુ લોકો મદદરૂપ થાય તેવી અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે જુનેદ પાંચભાયા અને ઇસ્તેખાર સિદ્દીકી,રજનીસિંગ અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

એક દિન કા સીએમ – છ ઈન્ટરવ્યૂ રાઉન્ડ પાર કર્યા બાદ અમદાવાદના આ વિદ્યાર્થીને સીએમ બનવાનો મળ્યો મોકો.

ProudOfGujarat

ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે BTTS દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું.

ProudOfGujarat

વિરમગામના પૂર્વ ઘારાસભ્ય તેમજ શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ  સમાજના આગેવાન પ્રેમજીભાઇ વડલાણીનુ લાંબી માંદગી બાદ નિધન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!