Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે

Share

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે આજુબાજુમાં રહીશો રહેતા હોવા છતાં પણ આ અંગે સરકારી બાબુ કોઈપણ પ્રકારના પગલા ભરતા નથી .કચરાવાળી જગ્યા પાસે જ સરકારી યોજના ના બેનરો માર્યા છે જે બેનરોમાં નરેન્દ્ર મોદી નો પણ ફોટો છે જ્યારે જ્યારે આ પ્રધાનસેવક ના ફોટાવાળા બેનર નજીક કચરો નાંખવવાળા શુ વિચારતા હશે ને કચરો નાખતા હશે એ વિચારવુંજ રહ્યું.પણ એક વાત તો નક્કી થઈ ગઈ કે સ્વચ્છ ભારત યોજના ને સફળ બનાવવા લોકો કેટલું સમર્થન પ્રધાન સેવક ને આપે છે તે આ ફોટા માં સ્પષ્ટ દેખાઈ આવે છે અને આ કચરો સાફ નહીં કરી સરકારી બાબુ ઓ સ્વચ્છ ભારત યોજના ને કેટલી સફળ બનાવશે તે આ ફોટા માં દેખાતા દ્રષ્યો જ તેમની કામગીરી ની ચાડી ખાય છે દિવાળી ના સમયે સરકારી બાબુઓ આ અંગે તાત્કાલિક પગલા ભરે એવી લોકમાંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

દેવમોગરામાં પાંડોરી માતાજીનાં દર્શન, પૂજા-અર્ચના કરવા ઉમટયુ માનવ મહેરામણ.

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાના ગોરા-ગળતી ફળીયામાં કુદરતનો અદભુત ચમત્કાર… ચંદનની વર્ષા થઇ

ProudOfGujarat

સુરત : માંગરોળના વાંકલ ખાતે મહિલાઓએ વડ સાવિત્રીનાં વ્રતની કરી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!