Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર નજીક આમલાખાડી ટ્રેક પર માતાએ બે બાળકો સાથે બાથમારી રેલવે ટ્રેક પર ઉભા રહી આત્મહત્યા કરી…કરુણ બનાવ કેમ બન્યો હશે તે અંગે ચાલતી તપાસ.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે કેટલીક વાર પ્રેમીપંખીડાઓ ટ્રેનના ટ્રેક પર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોય તેવા બનાવો પણ બન્યા છે પરંતુ માત્ર પાંચ વર્ષના પુત્ર અને ત્રણ વર્ષની વહાલસોહિ દીકરી સાથે માતા બાથભીડીને ટ્રેકની વચ્ચોવચ ઉભી રહે અને આત્મહત્યા કરે તેવો બનાવ કદાચ પહેલી વાર બન્યો હશે.

આ કરૂણ બનાવ અંગેની સીલસીલાબંધ વિગતો જોતા રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમલાખાડીની ઉપરથી પસાર થતા ડાઉન લાઈન રેલવે ટ્રેક પર આ બનાવ બન્યો હતો જેમાં મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે રહેતી સુરીજદેવી શિવસિંઘના ઉંમર વર્ષ 28ના લગ્ન નવ વર્ષ અગાઉ શિવસિંઘ યાદવ સાથે થયા હતા શિવસિંઘ યાદવ ફેબ્રીકેશનનો વ્યવસાય કરે છે સુરીજદેવી અગમ્ય કારણોસર ગત રોજ તેના પાંચ વર્ષીય પુત્ર ક્રિષ્ના અને ત્રણ વર્ષની માસુમ પુત્રી જાનવી સાથે ડાઉન લાઈન રેલવે ટ્રેક આમલાખાડી વિસ્તારમાં ઉભા રહી કોઈક કારણોસર એ કારણ ઘર કંકાસ હોઈ શકે અથવા તો આર્થિક સંકટ હોઈ શકે પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હોઈ શકે આવા બધા અનેક કારણો હોઈ શકે છે પરંતુ સુરીજદેવી એવી માતા બની કે જેણે મન અને મનોબળ મક્કમ રાખ્યા અને પોતાના બન્ને સંતાનોને સાથે રાખી બાથભીડીને રેલવે ટ્રેક ઉપર ઉભી રહી આવા બનાવો ભાગ્યેજ બનતા હોય છે તેવામાં મુંબઈ ખાતે કરાયેલ દેખાવ પ્રદર્શનના પગલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મોડી આવી અને રાત્રિના આઠ વાગ્યાના અરસામાં એ ટ્રેન આવતા સુરીજદેવી અને તેના બે સંતાને સામુહિક આત્મહત્યા કરી. આ બનાવ અંગે રેલવે પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

બનાસકાંઠા :ડીસાના મોટી ભાખર ગામે આધેડ ની હત્યા….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટયો છે સાત જેટલા લોકો સંક્રમિત થઈને આવતા ભરૂચ જિલ્લામાં આરોગ્ય ખાતુ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

ProudOfGujarat

રાજપારડી મુકામે મા કાર્ડ કાઢવાના કેમ્પનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!