Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી ગટરોમાં પ્રદૂષણ પાણી વહેતા જીપીસીબી અને NCT દ્વારા તપાસ હાથ ધરાઇ

Share

છેલ્લા એક અઠવાડિયા થી અંક્લેશ્વર ઓદ્યોગિક વસાહત ની વરસાદી ગટરો માં પ્રદૂષણ વેહવાની ઘટનાઓ બની રહી છે. આજે રવિવાર અને વરસાદ નો લાભ લઈ કેટલાક ઉદ્યોગકારો દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી ગટરો માં છોડવામાં આવ્યું હોય એમ જણાઈ રહ્યું હતું.

વરસાદી ગટરો માંથી આં પ્રદૂષિત પાણી પિરામણ નજીકના ફાઇનલ પંપીંગ સ્ટેશન પાસે પ્રદૂષિત પાણી રોકવા બનાવેયેલ પાળા ઉપરથી અને નીચે પ્રદૂષિત પાણી રોકવા બનાવાયેલ વાલ્વ ખુલ્લો રાખવાથી પીળા કલર નાં પ્રદુષિત પાણી આમલાખાડીમાં જતા આમલાખાડીમાં ફીણને લીધે આમલા ખાડી પર સફેદ દુષિત ફીણ પથરાઇ યમુના નદી જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી .પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને ફરિયાદ કરાઈ હતી જે બાદ જીપીસીબી અને NCT દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

Advertisement

પ્રકૃતિ સુરક્ષા મંડળ નાં સલીમ પટેલે જણાવ્યું હતું કે “હવે આં રોજની ઘટના બની છે કે રોજ અમે ફોન કરીએ ત્યારે રૂટિન મુજબ જીપીસીબી આવી સેમ્પલ લઇ રિપોર્ટ કરી ગાંધીનગર મોકલે છે. પરંતુ બીજા દિવસે એજ પરિસ્થિતિ સર્જાય છે. જીપીસીબી ની ઢીલી વૃત્તિ થી જીપીસીબી નો કોઈ ડર સ્થાનિક ઉદ્યોગો માં રહ્યો નથી આં જોઈ ને એવું લાગે છે કે શું પ્રદૂષણ ને કાયદા મુજબ ની માન્યતા આપી દેવામાં આવી છે?”


Share

Related posts

ભરૂચમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 સભ્યોને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા…..

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં અગર ગામ પાસેથી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર પાર્ક-૨ નજીક ડીજીવીસીએલ દ્વારા વીજ ટ્રાન્સફોર્મર માટે કામગીરી હાથ ધરાતા દુકાનદારો-રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!