Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં છોડવાનો મામલો, જીપીસીબી એ તપાસ શરૂ કરી

Share

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એક્મો વિસ્તાર ધરાવતા જીઆઈડીસી વિસ્તારમાંથી વરસાદી કાંસમાં અવારનવાર કેમિકલ યુક્ત પાણી છોડવાનો મામલો સામે આવતો હોઈ છે, તાજેતરમાં જ અંકલેશ્વર ખાતેથી પણ આજ પ્રકારનો એક મામલો સામે આવ્યો હતો.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ વરસાદી કાંસમાં કેટલાક બે જવાબદાર ઉધોગો દ્વારા પર્યાવરણ સાથે ખિલવાડ કરી પ્રદુષિત જળ કાંસમાં વહેતું કર્યું હોવાનું કૃત્ય આચર્યું હતું, જે બાદ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા મામલે જીપીસીબી ને રજુઆત કરવામાં આવી હતી.

આખરે કલાકો વીત્યા બાદ જીપીસીબી નું તંત્ર એક્શનમાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે અને મામલે તપાસના ધમધામટ શરૂ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જોવું રહ્યું કે આખરે અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયાની ભૂમિકા કોણ અને ક્યા ઉદ્યોગો અપનાવી રહ્યા છે તે તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

વિદ્યુત જામવાલ હાઇ-ઓક્ટેન સ્ટન્ટ્સથી લોકોના હોશ ઉડાવ્યા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે માંડવા ગામના રહીશને આવકનો દાખલો સહી-સિક્કા વગર આપી દેતા ભારે કુતૂહલ સર્જાયું હતું…

ProudOfGujarat

માંગરોળમાં મામલતદાર કચેરી દ્વારા હળપતિ સમાજના દીકરા દીકરીને જાતિનાં દાખલા કાઢી આપવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!