Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આપ પાર્ટીના ઉમેદવારોની મુખ્યમંત્રી કાર્યક્રમમાં વિરોધ નોંધાવા જતાં અટકાયત કરાઇ.

Share

આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ કેર ફંડમાંથી 80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપિસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન દ્વારા ભરૂચ સહિત રાજ્યમાં 18 સ્થળે તમામ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ત્યારે આ પ્રસંગે રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે ભરૂચ જિલ્લાના વિપક્ષીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ખાતે આમ આદમી પાર્ટીના નેતા હરીશ ભરવાડ, મુકેશ ભાઈ, અંકુર પટેલ ભરૂચ ખાતે મુખ્યમંત્રીનો વિરોધ કરવા જવાના હોય એ પેહલા અટકાયત કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લામાં પણ મુખ્યમંત્રી તેમજ ભાજપા વિરુદ્ધ વિરોધ નોંધાયો હતો તેવામાં અંકલેશ્વર ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું હતું ત્યારે પોલીસને જાણ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાનં જવાના હોય તે પહેલા જ તેઓની અટકાયત કરી અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે બેસાડી દેવામાં આવ્યા હતા જેથી કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારે અડચણ ઊભી ન થઈ શકે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

આતંકવાદને જડમૂળથી ઉખેડવા શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન.પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વરમાં ઠેરઠેર જગ્યા ઉપર ગણેશ ચતુર્થીની તૈયારીઓનો દોર શરૂ,

ProudOfGujarat

જુગારના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!