Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગ્લોઝ ના વોચ મેન ગંભીર હાલત માં ઘાયલ મળી આવ્યા તેની સારવાર દરમ્યાન મોત થતાં તેની હત્યા થઈ હોવાની શંકા પોલીસે સેવી રહી છે

Share

અંકલેશ્વર ના દીવારોડ ઉપર હાલ નવી બની રહેલ સર્જન બંગ્લોઝ માં વોચમેન તરીકે કામ કરતો અભિનેન્દ્રસિંહ ચંડેલ નો તા-૧૬ ના રોજ ગંભીર ઘાયલ અવસ્થા માં મળી આવ્યો હતો તેને લોકો એ પ્રથમ જયાબેન મોદી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવા માં આવ્યો હતો ત્યાં તેની હાલત ગંભીર થતાં તેને સુરતની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવા માં આવતા તેનું કાલે સવારે મોત થયું હતું જે અંગે ની જાણ અંકલેશ્વર સીટી પોલીસ મથક માં થતાં પોલીસે સર્જન બંગલોઝ નજીક તપાસ શરૂ કરી છે. આ મામલે સીટી પોલીસ તપાસ ચલાવી રહી છે કે વોચમેન અભિનેન્દ્રસિંહ ચંડેલ નું મોત કેવી રીતે થયું છે તેની હત્યા થઈ છે કે બીજા કારણોસર મોત થયું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત : જર્જરિત બિલ્ડીંગને કારણે કચેરીનું સ્થળાંતર, ઉદ્યોગ સાહસિકોને નવા સરનામે સંપર્ક કરવા અપીલ

ProudOfGujarat

અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાનું નિધન : એક્ટરે ઇમોશનલ પોસ્ટ શૅર કરી.

ProudOfGujarat

રાજકોટ – સરકારી દવાઓ બારોબાર વેચી દેવાના લાગ્યા આક્ષેપ, ગાંધીનગરથી ટીમ પહોંચી તપાસ માટે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!