Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં ૨૪ કેન્દ્રો ઉપર આજે વેકસીનેશન અભિયાન યોજાયું.

Share

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાલિયા તાલુકામાં કોરોના વેકસીનેશન મહાઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા પહેલા અને બીજા ડોઝ માટે મેગા વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે કોરોના રસીકરણ અભિયાનનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઘનલક્ષ્મી સોસાયટી, નીલ માધવ સોસાયટીના ગાર્ડન સહિત ૨૪ વેકસીનેશન કેન્દ્ર ખાતે લોકોની સવારથી જ વેક્સિન લેવા લાઈનો લાગી ગઈ હતી.

વેકસીન લેવા આવેલા લોકોને પ્રોત્સાહિત કરવા યુવા અન્સ્ટોપેબલ સંસ્થા દ્વારા વેક્સિન લેનાર લોકોને એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું. આ વેકસીનેશન અભિયાનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળ ગામે 1100 ફૂટ લાંબી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ.

ProudOfGujarat

ભરૂચના વોર્ડ નં.૧૧ માં રૂા.૩૫ લાખના ખર્ચે ૯ જેટલા કામોની ખાતમુર્હુત કરાયું

ProudOfGujarat

NSUI આક્રમક-જ્ઞાન સહાયક યોજના (કોન્ટ્રાકટ આધારિત ભરતી)રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે ભરૂચ NSUI દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!