Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં ૨૪ કેન્દ્રો ઉપર આજે વેકસીનેશન અભિયાન યોજાયું.

Share

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાલિયા તાલુકામાં કોરોના વેકસીનેશન મહાઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા પહેલા અને બીજા ડોઝ માટે મેગા વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે કોરોના રસીકરણ અભિયાનનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઘનલક્ષ્મી સોસાયટી, નીલ માધવ સોસાયટીના ગાર્ડન સહિત ૨૪ વેકસીનેશન કેન્દ્ર ખાતે લોકોની સવારથી જ વેક્સિન લેવા લાઈનો લાગી ગઈ હતી.

વેકસીન લેવા આવેલા લોકોને પ્રોત્સાહિત કરવા યુવા અન્સ્ટોપેબલ સંસ્થા દ્વારા વેક્સિન લેનાર લોકોને એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું. આ વેકસીનેશન અભિયાનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપારડી ચાર રસ્તા નજીક કવાંટના ઇસમની લાશ મળી ઠંડીના કારણે મોત થયાનુ અનુમાન .

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર નો ભવ્ય વિજય થતા સમર્થકો માં ઉત્સાહ નો માહોલ છવાયો હતો……..

ProudOfGujarat

ભરૂચ : લોક ડાઉન 4 માં છૂટછાટ બાદ ભરૂચ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા એક જ દિવસમાં નોંધાયા ચાર પોઝીટિવ કેસ જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!