Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં ૨૪ કેન્દ્રો ઉપર આજે વેકસીનેશન અભિયાન યોજાયું.

Share

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાલિયા તાલુકામાં કોરોના વેકસીનેશન મહાઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા પહેલા અને બીજા ડોઝ માટે મેગા વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે કોરોના રસીકરણ અભિયાનનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઘનલક્ષ્મી સોસાયટી, નીલ માધવ સોસાયટીના ગાર્ડન સહિત ૨૪ વેકસીનેશન કેન્દ્ર ખાતે લોકોની સવારથી જ વેક્સિન લેવા લાઈનો લાગી ગઈ હતી.

વેકસીન લેવા આવેલા લોકોને પ્રોત્સાહિત કરવા યુવા અન્સ્ટોપેબલ સંસ્થા દ્વારા વેક્સિન લેનાર લોકોને એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું. આ વેકસીનેશન અભિયાનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રૂપિયા ૨ હજાર ની લાંચ લેતા ભરૂચ એ સી બી ના હાથે ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વરનાં ત્રણ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાશે…

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે કેરેલી સૌથી મોટી જાહેરાતો, ગુજરાતને આપી મોટી ભેટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!