Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જી.ઈ.બી. ની બેદરકારી સામે આવી : વીજપોલ ખુલ્લા હોવાથી ઘોડાને કરંટ લાગતા મોત નીપજ્યું.

Share

કમોસમી વરસાદને પગલે પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવી છે. અંકલેશ્વરની સર્વોદય ચોકડી પાસે ઘોડાને કરંટ લાગતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેની સાથે ઘોડાના માલિકે મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આજરોજ અંકલેશ્વર સર્વોદય નગરની સામે ફતેનગરની પાસે મેઈન રોડ પર વીજ પુરવઠાની બેદરકારી સામે આવી છે. વીજ ડીપી ખુલ્લી મુકાતા તબેલા પરથી ચરવા આવેલા ઘોડાને કરંટ લાગતા ઘટનાસ્થળે ઘોડાનું મૃત્યુ થયું હતું. તે સાથે એક બિલાડીને પણ કરંટ લાગતા બિલાડીનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘોડાના માલિકે તેમના 2 લાખ રૂપિયાના ઘોડાનું મૃત્યુ થવાથી નુકસાન વળતરની માંગણી કરી છે. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે જાનવરને કરંટ લાગ્યો છે કોઈ બાળકને કરંટ લાગે અને બાળકનું મૃત્યુ થાય તો એની જવાબદારી કોની જેથી સ્થાનિક લોકોમાં વીજ પુરવઠાને લઈ રોષ જોવા મળી રહ્યો છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-સંજાલી ગામ ખાતે 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,પ્રેમ સંબંધ માં નિષ્ફળતા મળતા યુવકે કર્યો આપઘાત.!!

ProudOfGujarat

મહાશિવરાત્રી નિમિત્તે લીંબડીના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠયાં.

ProudOfGujarat

મહારાષ્ટ્ર : 35000 ખેડૂત મુંબઈમાં, આ પ્રદર્શન સાથે જોડાયેલ 10 મહત્વપૂર્ણ વાતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!