Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર કારમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

Share

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સતત આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ભરૂચ જિલ્લામાં અનેક સ્થળે ક્યાંક ઔદ્યોગિક એકમો તો ક્યાંક મકાનો અને ગાડીઓમાં આગ લાગવાની છેલ્લા એક માસમાં કેટલીય ઘટનાઓ બની ચુકી છે તેવાંમાં આજે સવારે વધુ એક ઘટનાએ ફાયરના લાશકરોને દોડતા મુક્યા હતા.

મહારાષ્ટ્રના શેરડીથી દર્શન કરી પરત ફરી રહેલા વડોદરાના એક પરિવારની એસન્ટ કારમાં અંકલેશ્વર નેશનલ હાઇવે પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી, અચાનક લાગેલ કારમાં આગે વિકરાળ સ્વરૂપ લેતા કાર બળીને ભસ્મી ભૂત થઈ હતી, જોકે ચાલક અને કારમાં સવાર લોકોની સમય સુચકતાના કારણે સમગ્ર ઘટનામાં સદનસબીએ કોઈ જાનહાની થવા પામી ન હતી, ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામા આવતા ફાયરના જવાનોએ લાયબંબા સાથે સ્થળ પર પહોંચી આગની જ્વાળાઓમાં રહેલ કાર પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

અંકલેશ્વર નવી દીવા અને કોસમડી ગામ ખાતે થી ઈંગ્લીશ દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ટ્રાફિકનું ગ્રહણ, ઝાડેશ્વર વિષ્ણુ અયપ્પા મંદિર સ્કુલ અને મહંમદપુરા મદીના હોટલ બન્યા ટ્રાફિક ઝોન સમાન વિસ્તાર

ProudOfGujarat

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની 74 મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભાનું ભરૂચ રોટરી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!