Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીનું સીબીએસઈ બોર્ડ રિઝલ્ટમાં સો ટકા પરિણામ આવ્યું.

Share

અંકલેશ્વર ખાતે કાર્યરત સનાતન એકેડેમીમાં સીબીએસઈ બોર્ડ પરીક્ષાનું પરિણામ 100% આવતાં જ વાલીઓ વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટમાં ખુશીની લહેર ફરી વળી છે.

અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી શિક્ષણ જગતમાં આગવું નામ અને સ્થાન ધરાવે છે હાલમાં જ જાહેર થયેલા સીબીએસઈ ના ધોરણ 10 અને 12 ના વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ આવતા શાળામાં ખુશીની લહેર ફરી વળી છે.

આ ખુશીના પ્રસંગે શાળાના મેનેજમેન્ટ દ્વારા ધોરણ 10 માં 90% થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 માં ખાસ રાહતો પણ જાહેર કરવામાં આવી છે. દરમિયાન મેનેજમેન્ટ દ્વારા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઓલપાડ તાલુકાના લોક લાડીલા ભાજપના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ગૃહમાં કહ્યું કે સરકારની પોલિસીમાં ઘણી વિસંગતતા છે…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 79.66 ટકા પરીણામ આવ્યું : 11 છાત્રોએ એ1 ગ્રેડ મેળવ્યો

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં નાનાવોરા ગામે 24 વર્ષનાં યુવાનની આત્મહત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!