Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ ઇન્દોર હાઇવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત.

Share

ગળતેશ્વર તાલુકાના બડેવીયા નજીકથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ગત રાત્રે અહીયા આવેલ ફુલબાઈ મંદિર સામેથી પસાર થતી એક CNG રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થયો હતો. આ અકસ્માતમાં રીક્ષાનો લોચો વળી ગયો છે. જેમાં સવાર રિક્ષા ચાલક સહિત 2 ને ઈજાઓ પહોંચી હતી. આ રિક્ષામા બેઠેલા ભીમસેન ગંગાપ્રસાદ કુશવાહને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓની હાલત ગંભીર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈકબાલસા સિકંદરસા દિવાનની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં એલસીબીએ 23.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ProudOfGujarat

ભરૂચમાં લોકડાઉન દરમિયાન લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ પર આજથી વિના મૂલ્યે રાશનનું વિતરણ શરૂ કરાયું હતું.

ProudOfGujarat

ભરૂચ: રહાડપુરની મિલન નગર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં, દોઢ વર્ષમાં જ તૂટી ગયો ગ્રામ પંચાયતનો રોડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!