Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિરમાં શીતળા સાતમની પૂજા અર્ચના કરાઈ.

Share

અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિર પ્રાંગણમાં સોસાયટીની તેમજ આજુબાજુની મહિલાઓએ શીતળા સાતમની પૂજા અર્ચના કરી હતી.

અંકલેશ્વર તાલુકાના નિરાંતનગર સોસાયટીમાં આવેલ શિવ શક્તિ મંદિર ખાતે શીતળા સાતમની પૂજા અર્ચના મહિલાઓ દ્વારા કરવામાં આવી. શીતળા સાતમના એક દિવસ આગળ રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ જાતની વાનગીઓ, મિષ્ઠાન, પકવાન, જમવાનું બનાવી બીજા દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે ટાઢું જમવાની પ્રથા છે. આજરોજ જમવાનું ના બનાવી શકાય એટલે મહિલાઓ એક જગ્યાએ એકત્ર થઈ શીતળા માતાની કથા સાંભળે છે. આજે જમવાનું ના બનાવવાનું હોવાથી ચૂલો સળગાવતા નથી અને આજે જમવાનું ટાઢું જમે છે. ગોર મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને સૌ મહિલાઓએ આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

Share

Related posts

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન*

ProudOfGujarat

રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગમાં તબીબોના છેલ્લા ત્રણ વર્ષનાં પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળતા ઝઘડિયાનાં ધારાસભ્યને એક પ્રતિનિધી મંડળ દ્વારા આવેદન આપતાં ચકચાર !

ProudOfGujarat

વડોદરા : સાંકરદા પાસે નાઇટ્રીક એસિડ ભરેલું ટેન્કર પલટ્યું, ગેસ ગળતર થતાં લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!