Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિરમાં શીતળા સાતમની પૂજા અર્ચના કરાઈ.

Share

અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિર પ્રાંગણમાં સોસાયટીની તેમજ આજુબાજુની મહિલાઓએ શીતળા સાતમની પૂજા અર્ચના કરી હતી.

અંકલેશ્વર તાલુકાના નિરાંતનગર સોસાયટીમાં આવેલ શિવ શક્તિ મંદિર ખાતે શીતળા સાતમની પૂજા અર્ચના મહિલાઓ દ્વારા કરવામાં આવી. શીતળા સાતમના એક દિવસ આગળ રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ જાતની વાનગીઓ, મિષ્ઠાન, પકવાન, જમવાનું બનાવી બીજા દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે ટાઢું જમવાની પ્રથા છે. આજરોજ જમવાનું ના બનાવી શકાય એટલે મહિલાઓ એક જગ્યાએ એકત્ર થઈ શીતળા માતાની કથા સાંભળે છે. આજે જમવાનું ના બનાવવાનું હોવાથી ચૂલો સળગાવતા નથી અને આજે જમવાનું ટાઢું જમે છે. ગોર મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને સૌ મહિલાઓએ આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોની જરૂરિયાતનાં હિસાબે રેલ્વે ભાડાં ચૂકવાઇ રહ્યા છે.

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં નેશનલ પ્લાઝા બિલ્ડિંગમાં ફાયર સેફટી ન હોવાથી સીલ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : દહેજની કોરોમંડલ કંપની દ્વારા લખીગામનાં સ્થાનિકોને નોકરી ન અપાતી હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!