Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમરાવતી નદીમાં દશા માતાજીની મૂર્તિના વિસર્જન દરમ્યાન 3 યુવાનો તણાયા : એક યુવાનનો બચાવ, 2 લાપતા.

Share

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં રાત્રી દરમિયાન દશામાં ની મૂર્તિઓનું વિસર્જન વિધિ ચાલી રહી હતી, તે જ દરમિયાન નજીકના જ ગામમાં રહેતા ત્રણ યુવાનો અચાનક નદીના પાણીમાં ગરકાવ થયા હતા, ત્રણ પૈકી એક યુવાનનો ધસમસતા પ્રવાહ વચ્ચેથી આબાદ બચાવ થયો હતો જોકે અન્ય બે યુવાનો હજુ પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે.

મામલા અંગેની જાણ અંકલેશ્વર ડી.પી.એમ.સી ના ફાયરના જવાનોને કરવામાં આવતા ફાયરના લાશકરોએ અમરાવતી નદી ખાતે દોડી જઈ નદીના પ્રવાહમાં લાપતા બનેલા બંને યુવાનોની શોધખોળ હાથધરી છે, અચાનક બનેલ ઘટનાના પગલે સ્થળ ઉપર લોક ટોળા જામ્યા છે,જોકે સવારે ૧૦ વાગ્યા સુધી બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પટ્ટો લાગ્યો નથી તો બીજી તરફ પોલીસ વિભાગે પણ સ્થળ દોડી જઈ મામલા અંગેની તપાસ હાથધરી યુવાનોની ઓળખ વિધિ હાથધરી છે.

Advertisement

અચાનક વહેલી સવારે નદીમાં ત્રણ યુવાનો તણાયા હોવાની વાત વાયુવેગે લોકોમાં પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ગમગીની ભર્યો માહોલ છવાયો છે,તેમજ સ્થાનિકો દ્વારા પણ લાપતા બનેલ યુવાનોની શોધખોળ માટે ફાયરના જવાનોને મદદરૂપ બની રહ્યા છે.

હારૂન પટેલ : ભરૂચ
મો. 9925222744


Share

Related posts

ઝઘડીયા : રાજપારડી પોલીસે બે વર્ષની ગુમ થયેલ બાળકીને શોધીને પરિવારને સોંપી.

ProudOfGujarat

રાજપીપળાના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ ના દર્દી મળી આવતા લોકોમાં ફફડાટ,તંત્ર નિદ્રાધીન 

ProudOfGujarat

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવે ફરી ચાર્જ સંભાળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!