Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં ઠેરઠેર રસ્તા વચ્ચે જ રખડતા ઢોરને પગલે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર નિદ્રામાં..!

Share

અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર જ રસ્તાની વચ્ચે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે, ઠેરઠેર આજ પ્રકારની સ્થિતિના પગલે વાહન ચાલકો સહિત રાહદારીઓ રસ્તેથી પસાર થતા તકલીફોનો સામનો કરી રહ્યા છે. શહેરના ત્રણ રસ્તા સર્કલ શાકમાર્કેટ નજીકથી એક બે નહિ પરંતુ અસંખ્ય ઢોર પોતાનો અડિંગો જમાવી બેસેલા નજરે પડતા હોય છે જેથી શાક માર્કર્ટમાં આવતા લોકોને પણ મુશ્કેલીઓ પડતી હોય છે.

આ પ્રકારે રસ્તા વચ્ચે જ રહેતા રખડતા ઢોરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના માર્ગો પર જોવા મળી રહી છે. કેટલીક વાર તો રસ્તા વચ્ચે આખલાઓના યુદ્ધના દ્રશ્યો પણ સામે આવતા હોય છે, તો કેટલાક બનાવોમાં અકસ્માત પણ સર્જાતા હોય છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના તંત્રએ પણ આ રખડતા ઢોરને રસ્તા પરથી દૂર કરવા અથવા તેઓના માલિકોનો સંપર્ક કરી જેતે યોગ્ય સ્થળે આ ઢોરોને રાખવા માટેના કડક સૂચનો આપવા અંગેની કવાયત કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 12 દિવસથી ચાલી રહેલી ફેનસિંગ કામગીરી સ્થગિત કરતું નર્મદા વહીવટી તંત્ર.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે આક્રમક ચર્ચા

ProudOfGujarat

ભરૂચમાં રસ્તાની કામગીરી ધીમી ગતિએ ચાલતા વિપક્ષ લાલઘૂમ, દોઢ વર્ષ વીત્યા છતાં રસ્તાનું કામ પૂરું નથી થયું, ઉગ્ર આંદોલનની અપાઇ ચીમકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!