Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉત્તરાયણ પર્વ પર ભરૂચની સિટી બસ સેવામાં 5 હજારથી વધુ લોકોએ મફત મુસાફરીનો લાભ લીધો

Share

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા દ્વારા ઉત્તરાયણ પર્વે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી.
વાહન ચાલકો પતંગના દોરા અને અકસ્માતથી બચી શકે તે માટે શહેરમાં પ્રથમ વખત દિવસભર સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની લોકોને ભેટ અપાઈ હતી.

શહેરમાં 12 રૂટો ઉપર સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 1478,10 થી બપોરે 2 કલાક સુધી 1907 અને બપોરે 2 થી સાંજે છ વાગ્યા સુધી 1760 શહેરીજનોએ સિટી બસમાં અવરજવર કરી હતી.

Advertisement

ભરૂચ સિટી બસ સેવા બે વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વે બે વખત ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. જેનો 14 હજારથી વધુ બહેનોએ લાભ લીધો હતો.

ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારે 6 કલાકથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની સફર સાંજે 6 કલાક સુધી ચાલી હતી. મકર સંક્રાંતિએ વાહનચાલકો પતંગના જીવલેણ દોરા, અકસ્માતનો ભોગ બને છે. જેનાથી બચવા 5145 શહેરીજનોએ સિટી બસની સ્લામત મફત મુસાફરી કરી હતી.


Share

Related posts

સમ્રુધ્ધિની સાથે સંસ્કાર અને સતસંગની આવશ્યકતા વર્તમાન સમયમાં વધારે છે – પૂજ્ય જયભાઈ જોષી

ProudOfGujarat

તૌકતે વાવાઝોડા બાદ ખેડૂતોને વીજ પુરવઠો ૧૬ કલાક આપવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ પર ભંગારનાં ગોડાઉનમાં 4 બાળકોને ગેસની અસર થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!