Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના બે શિક્ષકોને ચિત્રસર્જન બદલ એવોર્ડથી સન્માનિત કરાયા

Share

તાજેતરમાં યોજાયેલ યુ.એસ. આર્ટ ગેલેરી દ્વારા ” ડો.ભીમરાવ આંબેડકર એવોર્ડ” માટે ગુજરાત અને ભારતભરના ઘણા બધા ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરેલું હતું.

જેમાં ચિત્રકલાના કામની ગુણવત્તા, ચિત્રકારોએ કરેલા ચિત્ર પ્રદર્શન, શાળાના વિદ્યાર્થીઓને ચિત્રસ્પર્ધામાં ભાગીદાર બનાવી પ્રગતિ, ચિત્રસર્જન દ્વારા સામાજિક કાર્યો, સમાજ ઉત્થાન અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે કરેલા પ્રયત્નો જેવા અનેક પાસાઓને ધ્યાનમાં લઈને ઉત્કૃષ્ટ ચિત્રકલાની કામગીરી માટે ” ડો.ભીમરાવ આંબેડકર એવોર્ડ “માટે પ્રકાશચંદ્ર કાંતિલાલ ટેલર, શ્રી ગટ્ટુ વિદ્યાલય, અંકલેશ્વર અને પ્રાથમિક શાળા પાનોલીના શિક્ષક દોશી પ્રદિપકુમાર સુભાષચંદ્રની પસંદગી કરવામાં આવેલ છે.

વધુમાં પ્રદિપકુમાર દોશીને “KITESKRAFT PRODUCTIONS ” સંસ્થા દ્વારા”EDUCATION EXELLENCE AWARD -2023 પણ પ્રાપ્ત થયો છે, જે ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે એક ગૌરવ સમો પ્રસંગ છે.આ એવોર્ડ પોસ્ટ મારફત મળેલ છે.

Advertisement

Share

Related posts

દેડીયાપાડાના નિંગટ રામેશ્વર હોટલ ખાતે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત.

ProudOfGujarat

ભરૂચ : રાજ્ય સરકાર શાળા, કોલેજોમાં 50% ફી માફી કરાવે તેવી માંગ સાથે હાથમાં લોલીપોપ લઇ કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!