Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં

Share

અંકલેશ્વરના અમન માર્કેટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કાળા ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતાં હતાં. DPMCના લાશ્કરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 ને અડીને અમન માર્કેટ આવેલું છે. જેમાં અનેક વખતે આગ લાગવાના બનાવો બનતા રહે છે. જેમાં ગત સાંજે એક ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આગના કાળા ભમ્મર ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. બનાવની જાણ DPMC ના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાની જહેમત ઉઠાવી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભંગારના ગોડાઉનના સંચાલકો કેમિકલ વેસ્ટવાળો સામાન લેતા હોવાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોવાની લોક ચર્ચાઓ ઉઠી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા કોરોનાનાં વિવિધ ટેસ્ટ રિપોર્ટનાં દરોમાં ઘટાડો કરવા મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવને પત્ર લખી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

ઘોંઘબાના જંગલ વિસ્તારમાં છુપાવેલો દારુ દામાવાવ પોલીસે શોધી કાઢ્યો. બુટલેગર ફરાર…

ProudOfGujarat

અંકલેશ્વરની લ્યુપીન લિમિટેડ કંપનીને ASQ તરફથી સિલ્વર પ્રાઈઝ પ્રાપ્ત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!