Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરસાદી માહોલ વચ્ચે પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વરમાં કાળા કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડ્યું

Share

તારીખ ૨૪.૦૭.૨૩ નાં રોજ વહેલી સવારે ફરિયાદ મળતા સ્થાનિક સામાજિક સંગઠનો દ્વારા સી પંપીંગ સ્ટેશનની મુલાકાત લેતા સી પંપીંગ સ્ટેશનની સામે પ્રદૂષિત પાણીને રોકવા બનાવાયેલ ચેનલમાંથી કલરવાળું અને દુર્ગંધવાળુ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડી તરફ વહી રહ્યું હતું.

આટલા દિવસોથી સતત વરસાદ પડે છે પરંતુ ઓદ્યોગિક વસાહતમાંથી વહેતા વરસાદી પાણીનુ કલર વરસાદી પાણીનાં કલર જેવું આવતું નથી. કલર અલગ અલગ સમયે બદલાય છે. અંકલેશ્વરની ઓદ્યોગિક વસાહતમાં તો હાલ કાળા કલરનો વરસાદ વરસ્યો હોય એવું લાગી રહ્યું છે.

પ્રથમ વરસાદમાં કલર યુક્ત વાસવાળુ પ્રદૂષિત પાણી વહેતુ હતું ત્યારે કારણ આપાયા હતા કે પ્રથમ વરસાદમાં આવું થાય પરંતુ હવે તો આ કારણ વ્યાજબી નથી. કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો આમાં લાભ લેતા હોય એવું લાગી રહ્યું છે.

Advertisement

પ્રકૃતિ સુરક્ષા મંડળનાં સલીમ પટેલે જણાવ્યું હતું કે “વહેતાં પ્રદૂષિત પાણી માટે નોટીફાઇડ વિભાગ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અને જીપીસીબીની કામગીરી ફકત સેમ્પલ લેવા અને રિપોર્ટ કરવા સુધી સીમિત રહી છે. દરેક વિભાગ એક બીજા ઉપર દોષારોપણ કરે છે. ઓદ્યોગિક સમૂહોનાં પ્રતિનિધિઓ અને અધિકારીઓ સામૂહિક પ્રયાસ કરી જો ઠોસ પરિણામલક્ષી કાર્યવાહી કરે તો ફર્ક પડી શકે એમ છે. પર્યાવરણની રક્ષા માટે જવાબદારો યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા “રોડ કટર્સી કેમ્પેઈન-૨૦૧૮” અંતર્ગત અંકલેશ્વરમાં વાહનચાલકોને ટ્રાફિક અંગેના નિયમોનું પાલન કરવા હેતુસર વિશેષ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સોનગઢમાં ખ્રિસ્તી પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનો ઉમરપાડામાં તીવ્ર વિરોધ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે લગ્નમાં નાચવા બાબતે થયેલ મારામારીમાં બચાવવા વચ્ચે પડેલાને રીસ રાખી છાતીમાં ચપ્પુ ના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!