Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના એક મકાનમાં 29 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

Share

અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં શ્રી રામસુધીર ગુપ્તા તેમની પત્ની રેનુ દેવી સાથે ભાડાના મકાનમાં રહી છૂટક શાકભાજી વેચી પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા હતાં,ગત તા.16 મીની સાંજે તેમની પત્ની રેનુદેવી ઘરમાં એકલી હતી તે દરમ્યાન 29 વર્ષીય રેનુદેવીએ કોઈક અગમ્ય કારણોસર મકાનમાં રસોડાના રૂમની છતના હુક સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી લીધી હતી,આ ઘટનાની જાણ તેમના પતિ શ્રીરામ ગુપ્તાને કરાતા તેઓ દોડી આવ્યા હતા જો કે આસપાસના રહીશોને પણ જાણ થતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને શહેર પોલીસને જાણ કરવામાં આવતા શહેર પોલીસ દોડી આવી,રેનુદેવીના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મતદાન જનજાગૃતિ માટે શેરી નાટક યોજાયું: નાગરિકોએ અચૂક મતદાનના શપથ લીધા,

ProudOfGujarat

ભરૂચમાં પોલીસે જમીનમાં સંતાડેલ વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડી મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી.

ProudOfGujarat

રાતનપોર પાસે રમણીય વિસ્તાર માં આવેલા બાવાગોર દરગાહ નો ચસ્મો વધાવવામાં આવ્યો દરગાહ ના પહાડ પર ભવ્ય મેળો ભરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!