Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

Share

મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત કબીર મંદિર સામે રહેતા સફીરૂલ નુરઉલહોદા શેખની ગોયા બજારમાં અલંકાર જવેલર્સ ચલાવે છે ગત તા.19-12-2019 ના રોજ તેઓની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળી કારીગરો નીલકંઠ રાહુલ ખેત્રોપાલ,અજય મોહન ખેત્રોપાલ અને ચંદી જીવનકિશન હાજરા દુકાનમાં રહેલ સોનાની વિવિધ વસ્તુઓ મળી અંદાજીત 17 તોલા સોનુ મળી કુલ 5.10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તે દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસે ચોરીમાં સંડોવાયેલ ચંદી જીવનકિશન હાજરાને ઝડપી પાડયો હતો.

જેની વધુ પૂછપરછ કરતાં તેણે અંકલેશ્વરની અલંકાર જ્વેલર્સમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં ધારોલી વિભાગમાં નિયમિત વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ…

ProudOfGujarat

સુરતમાંથી સારોલી પોલીસે 8 કિલો 315 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને પકડ્યો

ProudOfGujarat

વડોદરામાં શિક્ષણ સમિતિના શિક્ષકોને ચૂંટણીની કામગીરી આપતા શાસનાધિકારીને કરાઇ રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!