Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : નાણાંની લેવડદેવડ અંગે પુત્રની હત્યા કરતો પિતા.

Share

અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં નાણાંની લેવડદેવડ કરવાની બાબતે પિતાએ પુત્રની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. સુશીલાબેન પવારનાં જણાવ્યા અનુસાર નગીન મગન વસાવા સાથે તેના પુત્ર દિનેશ નગીન વસાવાની નાણાંની લેવડદેવડ અંગે રકઝક થઇ હતી. જેના પગલે 74 વર્ષની ઉંમર ધરાવતા નગીન મગન વસાવાએ તેમના 40 વર્ષનાં પુત્ર દિનેશ નગીન વસાવાને પરાઈ વડે કાન, નાક, ગળા પર ગંભીર ઇજા પહોંચાડી હતી જેના પગલે દિનેશ વસાવાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર નગીન વસાવાને પકડી કોરોના અંગેની તપાસ અંગે મોકલવામાં આવ્યા છે. આ બનાવ અંગે વધુ તપાસ સિટી પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પંથક માંથી એક ભવ્ય મેળો લુપ્ત થયો જાણો કેમ…

ProudOfGujarat

અંકલેશ્વર- ૮૦ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!