Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને વાલિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી આમલાખાડી ઉભરાય, કોયલી અને ધતૂંરીયા ગામની સીમમાં પાણી ફરી વળ્યું

Share

સમગ્ર દેશની પ્રદુષિત ખાડીઓમાં જેની ગણના થાય છે. તેવી આમલાખાડીમાં ભારે વરસાદ અને કંપનીઓ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીના પગલે આમલાખાડી ઉભરાય હતી. આમલાખાડી અંકલેશ્વર અને વાલિયા તાલુકામાંથી પસાર થાય છે. ત્યારે ખાડીની આજુ-બાજુ આવેલા ખેતરોમાં પાણી ફરી વળતાં કોયલી, ધંતુરીયા અને અન્ય ગામોની સીમમાં આવેલ ૫૦૦ વીંગા જેટલી જમીનમાં આમલાખાડી નું કેમિકલ યુક્ત પાણી ફરી વળતા કિસાનોને ભારે નુકસાન થયું છે તે સાથે ભરતીના પાણી હોવાના પગલે ખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદ વરસતા આમલાખાડી ઉભરાઈ ગઈ હતી. તેથી ખાડી ના કિનારે આવેલ ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થતા કિશાનોને જંગી આર્થિક નુકસાન થયું છે. જે અંગે વળતર ની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ?

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોલીસે ટ્રકમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ : ઔધોગિક કામદાર કર્મચારીઓને લોકડાઉનનાં સમયમાં ફરજ પર ન આવી શકે તો પણ કપાત કર્યા વગર પગાર ચૂકવવા બાબતે કોંગ્રેસ દ્વારા કરાઇ રજુઆત,જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!