Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં થયેલ લૂંટનાં બનાવ બાદ પોલીસ પાસે હજી કોઈ કડી નહીં.

Share

અંકલેશ્વર ખાતે આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં ખૂબ મોટી સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઇ હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ ભરૂચ જિલ્લામાં પાંચબત્તી ખાતે બનેલ જવેલર્સની દુકાનમાં થયેલ લૂંટનાં બનાવ સાથે સામ્યતા ધરાવે છે. જેમ કે બંને લૂંટમાં 4 લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા હતા તે સાથે બાનમાં લેવાની રીતરસમ પણ એક સરખી જણાઈ રહી છે. પાંચબત્તી ખાતેની લૂંટમાં આરોપીઓ હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા મળતી માહિતી મુજબ હાલ આરોપીઓ મરાઠી ભાષામાં વાત કરી રહ્યા હતા ફરક માત્ર એટલો જ છે કે અંકલેશ્વરની ખૂબ મોટી કહી શકાય એવી દિલધડક લૂંટ વહેલી સવાર થઈ હતી જયારે પાંચબત્તી ખાતે જવેલર્સની દુકાનમાંથી લૂંટ બપોરના સમયે થઈ હતી. પાંચબત્તી ખાતે લૂંટમાં આરોપીઓ દ્વિચક્રી વાહનમાં આવ્યા હતા જ્યારે અંકલેશ્વરની લૂંટમાં આરોપીઓ મોટરકારમાં આવ્યા હતા. બંને લૂંટમાં રેકી કરી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ બનાવને 24 કલાક કરતા વધુ સમય વિત્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કડી મેળવાઈ હોય તેમ જાણવા મળ્યું નથી જયારે લૂંટનાં બનાવવા અંગે પોલીસ તંત્ર વિવિધ ટીમો બનાવી ચારે દિશામાં તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ખોવાયેલા સંબંધીને શોધવા માટે જગ્યા જગ્યા ઉપર દસ હજાર રૂપિયાની જાહેરાતના બેનરો લગાડવામાં આવ્યા…

ProudOfGujarat

ભરુચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં ગામોનાં મંદિરોમાં વૃદ્ધોને વિશ્વાસમાં લઈ સોના ચાંદીના દાગીના પડાવી ફરાર થઈ ગયેલા ગઠિયાને હાંસોટમાંથી એલ.સી.બી. પોલીસે ઝડપી લઈ ગુનાઓ ઉકેલી નાંખવાનો આશાવાદ વ્યક્ત કર્યા છે.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી પિસ્તલ અને જીવતા કારતુસ સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!