Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે ખેડૂતોનો વિરોધ…

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે એકસપ્રેસ વે ની કામગીરી ખેડૂતોએ અટકાવી છે આ કામગીરીમાં વળતર ચુકવ્યા વગર સરકારે કામગીરી હાથ ધરતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ભરૂચ જીલ્લામાં હાલ વડોદરા, મુંબઈ એકસપ્રેસ વે ની કામગીરી ચાલી રહી હોય જેનો વિરોધ પ્રદર્શિત કરી ખેડૂતોએ નારા બાજી કરી હતી.

ભરૂચનાં અંકલેશ્વરનાં દિવા ગામ ખાતેથી પસાર થતાં એકસપ્રેસ વે ની કામગીરી ખેડૂતોએ અટકાવી નારા બાજી કરી જણાવ્યુ હતું કે જો આ વિસ્તારમાં કોઈ ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર, સરકારની રહેશે તથા નેશનલ હાઇવે ઓથોરીટીની રહેશે. આ તકે વિરોધ પ્રદર્શિત કરી ખેડૂતોએ પ્રધાનમંત્રી દ્વારા બનાવવામાં આવેલ લેન્ડ એકવીજીશન એસ્ટ 2015 નાં નીતિ નિયમો મુજબ કામગીરી કરવા માટે ખેડૂતોએ માંગણી કરી છે. જો આ કાયદા મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં નેશનલ હાઇવે ઓથોરીટીનું ભરૂચ, આમોદ સહિતની જગ્યાઓ પર બંધ કરાવવામાં આવશે તેવી ચીમકી આપી છે.

Advertisement

અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે આ વિકાસ કાર્યોમાં ખેડૂતોને અસંતોષ કે અહિત થાય ત્યારે ખેડૂતો દ્વારા ચાલતી કામગીરી અટકાવવામાં આવે તે પણ સ્વાભાવિક વાત છે. અહીં જે વિરોધ છે તે લેન્ડ એકવીજીશન એકટ મુજબનો છે. આથી અહીં વિરોધનો વંટોળ ચરમસીમાએ પહોંચ્યો છે. જો આગામી સમયમાં ખેડૂતોનાં હિતની વાત સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો મોટાપાયે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે.


Share

Related posts

ઉમલ્લા પોલીસ દ્વારા લોક ડાઉન છતાં પણ ઘરની બહાર રખડતાં લોકો પર ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનીટી-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડિયાદ સ્ટોપેજથી કેન્દ્રીય મંત્રી એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

ProudOfGujarat

ઝઘડિયાનાં રાણીપુરા ગામની કેજીબીવી શાળાનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!