Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં કોસમડી ગામની સીમમાં મૃત હાલતમાં બાજ પક્ષી મળતાં બર્ડ ફલુની દહેશત વચ્ચે સ્થાનિકોએ તંત્રને જાણ કરી.

Share

અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની સીમમાં બાજ પક્ષી મૃત અવસ્થામાં મળી આવતા સ્થાનિકોએ બર્ડ ફલુની દહેશતના પગલે તંત્રને જાણ કરી હતી તંત્ર દ્વારા બાજ પક્ષીના મૃતદેહનો કબજો લઈ તેની તપાસણી અર્થે મોકલવાની તજવીજ આરંભી હતી.

ભરૂચ જિલ્લામાં અનેક વિસ્તારોમાંથી પક્ષીઓ મૃત્યુ પામી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે જેમાં વેજલપુરના બામણીયા નર્મદા નદીના ઓવારા 20 કાગડાઓનાં મોત બાદ અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાંથી મૃત અવસ્થામાં બાજ નામનું પક્ષી મળી આવતા સમગ્ર ઘટનાની જાણ થતાં તંત્રએ સ્થળ પર દોડી જઇ પક્ષીના મૃતદેહનો કબ્જો લઈ તપાસ અર્થે પૂણા લેબમાં મોકલવાની તજવીજ આરંભી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જંબુસર માર્ગ પરથી ચોર ખાનું બનાવી વિદેશી દારૂ વહન કરી લઇ જતી ટ્રક ઝડપાઇ, ૨૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે સરદાર બ્રિજ નીચે ચાલતા રેતી કૌભાંડ ઝડપી પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી 8 ઇસમો સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે.

ProudOfGujarat

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારતે કડક વલણ અપનાવ્યું : 24 કલાક બાદ ઈમરાન ખાને ‘મૌન તોડ્યું’..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!